પહલગામ આંતકી હુમલાના 3 આંતકવાદીઓ ઢાર – ગૃહમંત્રી અમિત શાહે સંસદમા કર્યા ખુલાસા

By: nationgujarat
29 Jul, 2025

આજે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહ ગૃહને સંબોધિત કરી રહ્યા છે. સોમવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના ભાષણથી ચર્ચા શરૂ થઈ હતી, જે મોડી રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રહી. આ દરમિયાન લોકસભામાં ઉપનેતા ગૌરવ ગોગોઈએ પણ પોતાનો મુદ્દો રજૂ કર્યો અને સરકાર પર તીખા પ્રહારો કર્યા. તેમણે સરકારને પૂછ્યું કે ગુપ્તચર ખામી કેવી રીતે થઈ અને હુમલાને રોકવા માટે પહેલાથી જ કઈ વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજનાથ સિંહે પોતાના ભાષણમાં જણાવ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓને મારનારા આતંકવાદીઓને કેવી રીતે ખતમ કર્યા. તેમણે જણાવ્યું કે ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમના પર હુમલા કર્યા. તેમણે કહ્યું કે આ કાર્યવાહી આતંકવાદ સામે ભારતની “ઝીરો ટોલરન્સ” નીતિને પ્રતિબિંબિત કરે છે.

આજે, પ્રિયંકા ગાંધી અને વિપક્ષી છાવણીમાંથી સપા વડા અખિલેશ યાદવ જેવા મોટા નેતાઓ પણ લોકસભામાં પોતાના મંતવ્યો રજૂ કરશે. બીજી તરફ, આજે રાજ્યસભામાં આ મુદ્દા પર 16 કલાકની ચર્ચા પણ શરૂ થશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. આતંકવાદીઓને મદદ કરનારા બે આરોપીઓએ પણ તેમની ઓળખ કરી લીધી છે. તેમણે કહ્યું કે મંગળવારે સવારે 4 વાગ્યે આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. આ આતંકવાદીઓને આશ્રય આપનારા બે મદદગારોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગૃહમંત્રીએ કહ્યું કે આ આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ, CRPF અને સેનાએ આ કાર્યવાહી હાથ ધરી હતી. આતંકવાદીઓ પાસેથી ત્રણ રાઈફલ મળી આવી હતી. આતંકવાદી સુલેમાન, જિબ્રાન અને અફઝલ માર્યા ગયા હતા. પહેલગામમાં જે રાઈફલોથી હુમલો કરવામાં આવ્યો હતો તે પણ આતંકવાદીઓ પાસેથી મળી આવી હતી. તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી M9 અમેરિકન રાઈફલ અને બે AK-47 મળી આવ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસેથી મળેલા કારતૂસની વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે.


Related Posts

Load more